Religious

શનિદેવ કરશે માલામાલ! શનિદેવનું ગોચર ત્રણ રાશિના લોકોનો કરશે મહાભાગ્યોદય!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના શનિદેવ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

શનિદેવ કુંભ રાશિમાં શશ રાજયોગ બનાવી રહહ છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવ ને નભમંડળના નવગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે.

હાલમાં શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે.  જ્યાં તેઓ પંચ મહાપુરુષ યોગમાંથી એક શશ રાજયોગ રચી રહ્યા છે. અને આગામી માર્ચ 2025 સુધી શનિદેવ આ જ રાશિમાં રહેશે.

વૃષભ રાશિ: શનિદેવ આ રાશિના દસમા ભાવમાં સ્થિત છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે.  તેની સાથે અણધાર્યો આર્થિક લાભ પણ થઈ શકે છે.

પ્રોફેશનલ લાઈફમાં પણ ઘણી સફળતા મળી શકે છે. તમે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરશો.  તેનાથી વિદેશ જવાનો પ્રયાસ કરનારા લોકો સફળતા મેળવી શકે છે.  કામના કારણે તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે. 

વેપારમાં તમારા નવા પ્રયાસોથી તમને ઘણો નફો મળી શકે છે.  બેરોજગારોને પણ જલ્દી નોકરી મળી શકે છે.  વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકશો.

સિંહ રાશિ : કુંભ રાશિમાં શનિદેવ નું ગોચર પણ સિંહ રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે.  ધંધામાં પ્રગતિની સાથે જંગી લાભ થવાની સંભાવના છે.

તમે તમારા વ્યવસાયમાં જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને ચોક્કસપણે મળશે.  આની મદદથી તમે તમારો બિઝનેસ પણ વધારી શકો છો.  તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.

તેનાથી વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો ધીરે ધીરે અંત આવી શકે છે. તમારી રાશિમાં શનિ ખૂબ જ બળવાન દેખાય છે.  આવી સ્થિતિમાં સિંહ રાશિ પર શનિદેવ હંમેશા મહેરબાન રહેશે.

તુલા રાશિ: આ રાશિના જાતકો માટે આ સૌથી ઉત્તમ તબક્કો ગણી શકાય છે. આ રાશિના લોકો માટે શનિ માત્ર સુખ જ લાવી શકે છે.  સંતાન તરફથી સુખ મળવાની સંભાવના છે. 

આ સાથે જે યુગલો લાંબા સમયથી સંતાનની ઈચ્છા ધરાવતા હોય તેઓ પણ સફળતા મેળવી શકે છે.  શનિની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકે છે.  લગ્નની પણ શક્યતાઓ છે.

નોકરી કરતા લોકો તેમની નોકરી બદલી શકે છે. આ સાથે તમને પ્રમોશનની સાથે સારો પગાર પણ મળી શકે છે.  તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.  તેનાથી તમે ભવિષ્ય માટે પૈસા બચાવવામાં સફળ રહી શકો છો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!