
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સૌરાષ્ટ્રમાં કેટલાક ધારાસભ્યો ભાજપ માં જોડાવા જઈ રહ્યા છે તેના ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા છે અને સાથે સાથે આપ ભાજપ ને કન્ટ્રોલ કરવા માટે કોંગ્રેસની રણનીતિ નક્કી કરવા ગુજરાત આવ્યા છે. રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત એક પાક્કા ચૂંટણી રણનીતિકાર અને માસ્ટર ખેલાડી છે. જાદુગરના હુલામણા નામે ઓળખાતા અશોક ગેહલોત દ્વારા આ પહેલા પણ પોતાના કરતબ ગુજરાતમાં દેખાડી ચુક્યા છે.

તાજેતરની જ વાત કરીએ તો રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોને નિયંત્રણમાં રાખીને ઝી ટીવીના માલિક સુભાષચંદ્રને પરાજિત કરી દીધા. એટલું જ નહીં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપી બે આંકડામાં ભાજપને લાવી દીધી હતી. જ્યારે જ્યારે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ઘમાસાણ હોય ત્યારે ત્યારે અશોક ગહેલોત સંકટમોચક બનીને હાજર થઈ જાય છે.

ચુસ્ત ડીસીપ્લીન અને જનતા સાથે જોડાયેલા નેતા છે જેમને જનતાની નાડ પરાખતા અને નેતાના મનને સમજતા આવડે છે. બસ કેજરીવાલ ભાજપને આજ ડર છે કે જો અશોક ગેહલોત ગુજરાતમાં સક્રિય થઈ જશે તો આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ જશે અને ભાજપ ને પણ 2017 ના જેવું ખાસુ નુકશાન જશે. આમ આદમી પાર્ટી હાલ સુંધીના સર્વેમાં કોંગ્રેસના જ મતો તોડી રહી છે હવે તેમની નજર કોંગ્રેસના કોર વોટર પર છે પણ જો ગહેલોત આવે તો આ શક્ય બની શકે નહીં.

કારણ કે અશોક ગેહલોત પોતાની કોઠાસૂઝ મુજબ આમ આદમી પાર્ટીનો પગપેસારો રોકી શકવા સક્ષમ છે જે બાબત કેજરીવાલ સારી રીતે જાણે છે. પાટીલ ને પણ ખબર છે કે જો અશોક ગેહલોત આવશે તો કોંગ્રેસમાં પ્રાણ પુરાશે અને એનો ફટકો ભાજપને પડશે. સાથે સાથે બાગી ધારાસભ્યોમાં પણ ફફડાટ છે. અશોક ગહેલોત દ્વારા ગઈકાલે ગુપ્ત રીતે સૌરાષ્ટ્રના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ અશોક ગેહલોત દ્વારા બાગી ધારાસભ્યોને પણ મીઠી ચીમકી આપવામાં આવી હતી. સાથે જ અશોક ગેહલોત દ્વારા સંગઠન બાબતે પણ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મિટિંગ કરીને આગામી ચૂંટણી બાબતે રણનીતિ અને કેમ્પઇન માટે બેઠક લીધી હતી. અશોક ગેહલોત ગુજરાતમાં આવતાં જ ગુજરાત કોંગ્રેસમાં અને કાર્યકરોમાં પ્રાણ પુરાઈ ગયા છે.
