GujaratPolitics

ટ્રમ્પ આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે?!

અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગમનની તારીખ નક્કી થઈ ગઈ છે અને તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ અમદાવાદમાં ધામા નાખી ચુકી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના કાફલા માટે હયાત હોટલ અને આજુ બાજુની તમામ હોટલો બુક કારી દેવામાં આવી છે તેમજ આજુ બાજુના તમામ રહીશોના નામ, કામ અને ઓળખ પત્રો સુરક્ષાના ધોરણે એકઠા કરવામાં આવી રહ્યા છે. આ તમામ તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી ની ભાજપ સરકાર સામે મોટું સંકટ આવી પડ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી ની ભાજપ સરકાર ચારે બાજુથી હાલ ભીંસમાં મુકાઈ ગઈ છે જેનું એક કારણ રાજ્યમાં ચાલી રહેલા વિરોધ વિદ્રોહ છે.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

સરકાર સામે ખુદ પોતાના ધારાસભ્યો પણ લાલ આંખ કરી ચુક્યા છે ત્યારે હવે એના કરતાં મોટું સંકટ ગુજરાત સરકાર પર આવી રહ્યું છે. વાત એમ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે ગુજરાતમાં સરકાર સામે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે. જેમાં સરકારની જ ભૂલ સામે આવી છે. છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં બિન અનામત વર્ગની દિકરીઓ પ્રદર્શન કારી રહી હતી તો અનામત વર્ગના લોકોએ પણ સરકાર સામે બાંયો ચડાઈ હતી. આ તમામ શરૂઆત સરકાર દ્વારા 1 ઓગસ્ટ, 2018ના પરિપત્રના કારણે થઈ, આ પરિપત્રમાં ફેરફાર કરવાની જાહેરાત કરતાંની સાથે જ બિન અનામત સંકલન સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની દીકરીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનતામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે રૂપાણી સરકાર બરાબરની ફસાઈ ગઈ છે.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

અંતે ગઈકાલે સરકાર ઝૂકી અને સમાધાન ફોર્મ્યૂલા કાઢી પરંતું તોય નારાજગી અને વિરોધ અકબંધ રહ્યો છે. આ બાબતે જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સરકારે માત્ર કટ ઓફ માર્ક્સ બાબતે જ સ્પષ્ટીકરણ કર્યું છે. સરકાર દ્વારા ઠરાવ રદ્દ કરવા બાબતે કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. અનામત વર્ગની મુખ્ય માંગણી પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ કરવાની છે. જે રદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી એટલે અનામત વર્ગનું આંદોલન ચાલુ જ રહેશેની જાહેરાતે મુખ્યમંત્રી રૂપાણી ની ચિંતામાં વધારો કરી દીધો છે. રૂપાણી સરકાર ખુદ આ બાબતે કલુલેસ લાગી રહી છે. શું પગલાં ભરવા અને પરિપત્ર રદ કરવો કે ના કરવો એ બાબતે સરકાર ખુદ અસમંજસમાં લાગી રહી છે. એક તરફ અમરીકી રાષ્ટ્રપતિના આગમનની તૈયારી અને વિવાદનો વંટોળ.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

તો બીજી તરફ ગાંધીનગર ખાતે બિન અનામત સંકલન સમિતિ અને હજારોની સંખ્યામાં આંદોલન પર બેઠેલી દીકરીઓની સરકાર સમક્ષ એકજ માંગ અને રજૂઆત કરી હતી કે, 2018ના પરિપત્રમાં કોઈપણ જાતનો ફેરફાર કરવાં આવે નહીં અને પાસ થયેલી યુવતીઓને નિમણુંક પત્ર આપવામાં આવે નહીંતર આંદોલન વધારે ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમજ બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પણ આ અંગે અરજી કરી છે. અને આ અરજીમાં બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ દાદ માંગી છે કે, રાજ્ય સરકાર પાસ થયેલી બિનઅનામત વર્ગની યુવતીઓને તાત્કાલિક ધોરણે નિમણૂંક પત્ર આપે. જણાવી દઈએ કે, આ બાબતે 1578 માંથી 254 જેટલી યુવતીઓ એક સાથે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખખડાવી ચુકી છે. ગઈકાલના સમાધાન ફોર્મ્યુલા બાબતે બિન અનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ અનામત વર્ગ દ્વારા આંદોલન ચાલુ જ રહેશેની જાહેરાત પણ કરવામાં આવી છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલી એલઆરડીની પરીક્ષામાં શરૂઆતથી જ છીંડા જોવા મળી રહ્યા છે. પેપર લીક થયાં બાદ પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા લેવા માટે ધરણા પ્રદર્શન અને હવે પરિણામ બાદ ભરતી પ્રક્રિયા રૂપાણી સરકાર માટે ગંભીર પ્રશ્ર્ન બની ગયો છે. હવે આ બાબતે ભાજપ નેતાઓ પણ મુખ્યમંત્રી રૂપાણી સામે લાલ આંખ કરી રહ્યા છે. કોંગ્રેસ માંથી પાળી કૂદીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પણ આ વિરોધમાં શામેલ થઈ ગયા છે અને સરકાર સામે બાથ ભીડી રહ્યા છે. આ બાબતે ભાજપ અલ્પેશ ઠાકોર સામે શિસ્તભંગ મામલે પગલાં ભરે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં.

મુખ્યમંત્રી રૂપાણી
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ સરકાર સામે વિરોધનો વંટોળ છે અને એ પણ ત્યારે જ્યારે જગત જમાદાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે, જ્યાં સમગ્ર દેશી વિદેશી મીડિયા ગુજરાતમાં હાજર હશે ત્યારે રૂપાણી સરકાર ઉપર વિરોધની ત્રણ તલવાર લટકી રહી છે. બિન અનામત વર્ગ, LRD મહિલા અનામત અને આદિવાસી ખોટા પ્રમાણપત્ર આ ત્રણ બાબતે રૂપાણી સરકાર બરોબરની ભેરવાઈ ગઈ છે અને શું રસ્તો કાઢવો એ સમજમાં આવતું નથી. સરકાર વર્ગવિગ્રહ દૂર કરવા અને આ મુસીબતમાંથી બહાર નીકળવા રસ્તો કરવા જાય છે પણ મામલો વધારે ગૂંચવાતો જઇ રહ્યો છે. પરંતુ બિનઅનામત વર્ગ દ્વારા આંદોલનપૂર્ણ કરવાની જાહેરાતે મુખ્યમંત્રી રૂપાણી ને થોડી રાહત જરૂર આપી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!