GujaratIndiaPolitics

કેજરીવાલ એ ભુપેન્દ્ર નરેન્દ્ર સરકારને ઘેરી! મુખ્યમંત્રી ચિંતામાં! સત્તા પરિવર્તનું વાવાઝોડું?

ગુજરાતની ચૂંટણીને હવે થોડા જ દિવસો રહ્યા છે.હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેરનામું બહાર પડી ગયું છે.ગુજરાતમાં થોડા ક જ દિવસ માં ચૂંટણી જાહેરનામું બહાર પાડી શકે છે. આમ ગુજરાત અને હિમાચલ પ્રદેશ માં એક સાથે જ ચૂંટણી યોજાય છે એટલે નક્કી જ છે કે હિમાચલ સાથે જ ચૂંટણી યોજાશે અને બન્ને રાજ્યોની મત ગણતરી એક જ દિવસે એટલે કે 8 ડિસેમ્બર ના રોજ યોજાશે જેનો સીધો મતલબ એ છે કે આગામી 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે ગુજરાતમાં કોણ સરકાર બનવશે. હાલ જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યા છે જેમાં ભાજપ ને સત્તા કબ્જે કરતાં ફરી બતાવાઈ રહી છે તો કોંગ્રેસ અને કેજરીવાલ ની આપ માં જબરદસ્ત ફાઈટ છે. પરંતુ કેટલીક વાર ઓપિનિયન પોલ પણ ખોટા સાબિત થાય છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની સત્તારૂઢ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધતા કહ્યું કે, “ભાજપના લોકો કહે છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે આ વખતે ગુજરાતને ડબલ એન્જિનની સરકાર નહીં, પણ નવું એન્જિન જોઈએ છે. તેમણે કહ્યું કે આ ડબલ એન્જિન 40-50 વર્ષ જૂના છે. આ વખતે નવી પાર્ટી, નવા ચહેરા, નવા વિચારો, નવી ઉર્જા અને નવી સવાર હશે. તેમણે કહ્યું કે એકવાર નવી પાર્ટીને અજમાવી જુઓ. શું જાય છે?”

કેજરીવાલે કહ્યું કે હું ગુજરાતની જનતા પાસેથી માત્ર એક તક માંગવા આવ્યો છું. તમે લોકોએ આ લોકોને (વિરોધી પક્ષોને) 70 વર્ષ આપ્યા છે. કેજરીવાલને એક તક આપો અને જુઓ. જો હું કામ નહીં કરું તો હું તમારી પાસે વોટ માંગવા નહીં આવું. હું તમારા પ્રેમ અને વિશ્વાસને તૂટવા નહીં દઉં એવી મારી ગેરંટી છે. દિલ્હીના સીએમએ કહ્યું કે સમગ્ર ગુજરાતનો સમય બદલવામાં આવી રહ્યો છે. પરિવર્તનનું વાવાઝોડું અત્યારે ફૂંકાઈ રહ્યું છે. 27 વર્ષથી લોકો થાકી ગયા છે. દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. કેજરીવાલે કહ્યું કે હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું. આઈબીનો રિપોર્ટ આવ્યો છે. અહેવાલ છે કે ગુજરાતમાં આમ આદમીની સરકાર બની રહી છે, પરંતુ આ જીત ધાર પર છે. અત્યારે 92-93 સીટો આવી રહી છે, 150 સીટો આવવી જોઈએ.

કેજરીવાલ ની જાહેરાત!

કેજરીવાલ દ્વારા ભાવનગર માં એક જનસભા ને સંબોધિત કરવાં આવી હતી ત્યાં કેજરીવાલ દ્વારા મોટી કહેરાત કરવામાં આવી હતી જે બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, “છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં પાટીદાર આંદોલન, કિસાન આંદોલન, માલધારી આંદોલન, આદિવાસી આંદોલન, કર્મચારી આંદોલન સહિત અનેક આંદોલનો થયા છે. આંદોલન સાથે સંકળાયેલા લોકો સામે ખોટા કેસ દાખલ કર્યા છે. અમે અમારી સરકાર બન્યાના 15 દિવસમાં તમામ કેસ પાછા ખેંચી લઈશું.” વધુમાં તેમણે કહ્યું કે, હું તમને 30,000 કરોડનું પેકેજ ન આપી શકું, પરંતુ હું તમારા પરિવારને દર મહિને 30,000 રૂપિયાનો લાભ આપીશ. મતગણતરી 8 ડિસેમ્બરે થશે, 15 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે ગમે ત્યારે ચૂંટણી લક્ષી જાહેરનામું બહાર પડી શકે છે. ચૂંટણી જાહેરનામું બહાર પડતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે. જે જોતાં ત્રણેય પાર્ટીઓ પુરી તાકાત ઝોકી રહી છે. ત્રણેય પાર્ટીઓ આચારસંહિતા લાગુ થાય એ પહેલાં મોટી મોટી સભાઓ, રેલીઓ અને જાહેરાતો કરવામાં લાગી ગયા છે. જેમાં ભાજપ તો હાલમાં સત્તા માં છે એટલે છેક સુંધી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો સરકારી ખર્ચે પરકચર પ્રસાર તેમજ ગરીબ કલ્યાણ મેળાઓ વગેરે કરવામાં જબરદસ્ત વ્યસ્ત છે. તો કોંગ્રેસ પણ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઝોન મુજબ યાત્રાઓ કાઢી રહી છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણીલક્ષી માહોલ બરાબર નો જામ્યો છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!