આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા દશેરાના અવસર પર વસ્તી નિયંત્રણ પર આપવામાં આવેલા નિવેદન પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ની પ્રતિક્રિયા સામે આવી છે. ઓવૈસીએ દાવો કર્યો છે કે મુસ્લિમોની વસ્તી ઘટી રહી છે. આ સાથે ઓવૈસીએ કહ્યું કે હાલમાં મોટાભાગના મુસ્લિમો કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ માટે જાતિ અને ધર્મથી ઉપર વિચારવું પડશે. હવે RSS ના વડા અને મોહન ભગવત અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી આમને સામને આવી ગયા છે. મોહન ભાગવત ના નિવેદન પર અસદઉદ્દીન ઓવેસીએ મોટું નિવેદન આપ્યું છે. આગામી સમયમાં રાજકીય વાતાવરણ તંગ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
મોહન ભાગવત ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું, “તે કહે છે કે વસ્તી ઓછી કરો. મુસ્લિમોની વસ્તી વધી નથી પરંતુ સતત ઘટી રહી છે. મોટાભાગના મુસ્લિમો કોન્ડોમનો ઉપયોગ કરે છે. મુસ્લિમોની વસ્તી નથી વધી રહી, ટેન્શન ન લો. તમે ડેટા રાખીને વાત કરો, ભાગવત સાહેબ. ડેટા રાખીને, આ લોકો વાત કરશે નહીં.” ઓવૈસીએ કહ્યું, “મોહન ભાગવત કહી રહ્યા છે કે વસ્તી વધી રહી છે. વર્ષ 2020માં મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે ફેમિલી પ્લાનિંગ કોઈ મજબૂરી ન હોઈ શકે અને અમે ઈચ્છતા પણ નથી. સર્વેના પાંચમા રેકોર્ડ મુજબ મુસ્લિમોના કુલ પ્રજનન દરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.
વધુમાં અસદુદ્દીન ઓવૈસી એ જણાવ્યું હતું કે, દેશનો કુલ પ્રજનન દર ઘટીને 2% પર આવી ગયો છે. મોહન ભાગવત દર વર્ષે દશેરાના અવસરે લોકોને વધતી વસ્તીનો ડર બતાવે છે. અસદુદ્દીન ઓવૈસી એ પણ આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી, મથુરા, અડવાણીની રથયાત્રા અને અયોધ્યા, આ તમામ મુદ્દા શું આરએસએસ દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં મુસ્લિમો ખુલ્લી જેલમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે. ઓવેસીના આવા નિવેદનો પર રાજકીય પાર્ટીઓ તરફથી આઘાત પ્રત્યાઘાત આવી રહ્યા છે. ઓવેસી આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પણ ઝંપલાવવાના છે એટલે ગુજરાતમાં પણ આ મુદ્દો બનશે એ નક્કી છે.
દરેક વ્યક્તિએ વસ્તી નિયંત્રણ વિશે વિચારવું પડશે – મોહન ભાગવત
હકીકતમાં દશેરાના અવસર પર આરએસએસના વડા મોહન ભાગવતે પણ વસ્તી નિયંત્રણ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધાએ જાતિ અને ધર્મથી ઉપર ઊઠીને વસ્તી નિયંત્રણ વિશે વિચારવું પડશે. આ સાથે, તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે એક વ્યાપક વસ્તી નીતિ લાવવાની પણ જરૂર છે કારણ કે તેના પુરાવા પણ સંતુલિત હોવા જોઈએ. મોહન ભાગવતે કહ્યું હતું કે વસ્તીના અસંતુલનના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે. આવું 50 વર્ષ પહેલા પણ થયું હતું, પરંતુ આજના સમયમાં પણ આવું જ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:
- કેજરીવાલના નિવેદન બાદ ભાજપ અધ્યક્ષ નો પિત્તો ગયો! પાટીલ થયાં લાલઘૂમ અને કહ્યું…
- ભાજપના મંત્રીઓ આવે ત્યારે જ રસ્તાનું સમારકામ થાય છે: ભાવનગર યુવરાજ રાજકીય ગરમાવો!
- મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન
- અમિત શાહ નો ચોંકાવનારો ખુલાસો! કહ્યું મુખ્યમંત્રીએ મને ખૂબ માર્યો હતો!
- વિજય રૂપાણી ભરાયા ગુસ્સે! મોકો મળતાં જ ઝાટકી નાખ્યા! ગુજરાતમાં રાજકીય ઘમાસાણ!
- મોદી શાહ ના ગઢમાં મોટું ગાબડું! જેવું કોંગ્રેસ સાથે કર્યું એવું જ ભાજપ સાથે થયું!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માં મોટું ભંગાણ! કોંગ્રેસને ફાયદો!
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!