Religious

છાંયા ગ્રહ રાહુ બનશે સૌથી શક્તિશાળી! બે રાશિના લોકોના જીવનમાં અણધાર્યું પરિવર્તન અને ઢગલાબંધ ધન સમૃદ્ધિ!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના રાહુ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

રાહુનો ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ.  ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એ 26મું નક્ષત્ર છે અને તે મીન રાશિમાં આવે છે. આ સમયે રાહુ પણ મીન રાશિમાં છે. જે રાહુને વધારે શક્તિશાળી બનાવે છે.

પાપી અને છાયા ગ્રહ હોવા છતાં રાહુનું કુંડળીમાં વિશેષ મહત્વ છે. રાહુનું ગોચર ભલભલાના જીવનમાં મોટી ઉથલ પાથલ સર્જી શકે છે. રાહુ લગભગ 18 મહિના પછી પોતાની રાશિ બદલે  છે.

રાહુ સમયાંતરે રાશિચક્રની સાથે નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે. રાહુ 16 માર્ચ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે.  તેઓ સમય સાથે વ્યક્તિને બદલવાની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં રાહુના આ ગોચરથી કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે.

મકર રાશિ: આ રાશિમાં રાહુ ત્રીજા ભાવમાં સ્થાન પામે છે. રાહુ બદલાતા નક્ષત્રની અસર મકર રાશિના લોકોના જીવનમાં જોવા મળી શકે છે.  જીવનમાં આવનાર દરેક પડકારનો તમે ખૂબ જ ઝડપથી સામનો કરશો.  આત્મવિશ્વાસ વધશે.

માર્ચ 2025 સુધીમાં આ રાશિના લોકોના જીવનમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની શકે છે. આ રાશિના લોકોને ઘણા સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.  પરંતુ હવે રાહુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે તમને લાભ મળી શકે છે.

નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે.  રાહુ તમારા જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓનો અંત લાવશે.  તમને જણાવી દઈએ કે રાહુનું ચોથું ચરણ પૂરું થઈ ગયું છે.  આ સાથે આ રાશિના લોકોને 18 સપ્ટેમ્બરથી બીજા તબક્કામાં લાભ મળશે.  લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત થશે.

તુલા રાશિ: આ રાશિના જાતકોને પણ રાહુના નક્ષત્રમાં પરિવર્તનથી ઘણી અસર થશે.  આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.  તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. 

આ સાથે હવે બાળકોના શિક્ષણ અને કરિયરને લઈને ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે.  નોકરી કરતા લોકોને નવી નોકરી માટે ઘણી તકો મળી શકે છે.  છઠ્ઠા ભાવમાં રાહુની હાજરીને કારણે આ રાશિના લોકોના જીવનમાં ઘણી અસર પડી શકે છે.

છઠ્ઠા ઘરમાં રાહુની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે.  કરિયરની સાથે બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે.

વિદેશ વેપારમાં પણ મોટો નફો મળવાની સંભાવના છે.  નાણાકીય સ્થિતિ સારી રહેશે અને તમે ભવિષ્ય માટે પણ બચત કરવામાં સફળ થઈ શકો છો. લાંબાગાળા ના રોકાણથી લાભ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!