IndiaPolitics

ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ, મોટો ખુલાસો! ભાજપ પર મોટો આરોપ!

દેશના રાજકારણમાં એક નવો ચીલો શરૂ થયો છે ધારાસભ્યો ની ખરીદફરોતનો. જો રાજ્યમાં બહુમતી ના મળે તો ધારાસભ્યો ખરીદીને બહુમતી મેળવી ને સરકાર બનાવવી. આવા અસંખ્ય દાખલાઓ છે. દેશના કેટલાય રાજ્યોમાં રાતોરાત સત્તા બદલાઈ ગઈ છે. ત્યારે એક મોટો ખુલાસો થયો છે. તેલંગણામાં લોકશાહીની હત્યાનો મોટો પ્રયાસ થયો છે જેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા લોકોએ પોતાની ઓળખ હરિયાણાના ફરીદાબાદના સતીશ શર્મા ઉર્ફે રામ ચંદ્ર ભારતી, તિરુપતિના ડી સિંહાજી અને એક વેપારી નંદકુમાર તરીકે આપી છે. તેલંગાણામાં TRS ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના સમાચાર સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાયબરાબાદ પોલીસ કમિશનર સ્ટીફન રવિન્દ્રના જણાવ્યા અનુસાર ચાર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ફરિયાદ બાદ અઝીઝ નગર ખાતેના ફાર્મહાઉસની તપાસ કરવામાં આવી હતી. ટીઆરએસના ધારાસભ્યોએ પોલીસને જણાવ્યું કે તેમને પાર્ટી બદલવા માટે લાલચ અને લાંચની ઓફર કરવામાં આવી હતી. પક્ષ બદલવા માટે મોટી રકમ, કોન્ટ્રાક્ટ અને હોદ્દાની ઓફર કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, આ ઓપરેશનનું આયોજન મહારાષ્ટ્રની તર્જ પર કરવામાં આવ્યું હતું. ડીલ કરનારને 100 કરોડ રૂપિયા અને દરેક ધારાસભ્યને 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જેમાં પી રોહિત રેડ્ડી સહિત ચાર લોકોના નામ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ત્રણ લોકો હૈદરાબાદ આવ્યા હતા, અને ઘણા દિવસોથી ધારાસભ્યોના સંપર્કમાં હતા. આ લોકો નકલી ઓળખના આધારે હૈદરાબાદ આવ્યા હતા.

તેણે ધારાસભ્ય રોહિત રેડ્ડી સાથે 100 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. દરેક ધારાસભ્યને પાર્ટી બદલવા માટે 50 કરોડની ઓફર પણ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓફર તેંદૂરના ધારાસભ્ય પી રોહિત રેડ્ડીના ફાર્મ હાઉસ પર કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા લોકોએ પોતાની ઓળખ હરિયાણાના ફરીદાબાદના સતીશ શર્મા ઉર્ફે રામ ચંદ્ર ભારતી, તિરુપતિના ડી સિંહાજી અને એક વેપારી નંદકુમાર તરીકે આપી છે. હાલમાં ચારેય ધારાસભ્યોને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનમાં લઈ જવામાં આવ્યા હતા. TRS સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર સતીશ રેડ્ડીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં હોટેલિયર નંદુ તરફ ઈશારો કરવામાં આવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તે કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની નજીક છે અને તે TRS ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કરનારાઓમાંનો એક છે. ટીઆરએસના પ્રવક્તા કૃષ્ણકે આ હોર્સ ટ્રેડિંગ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે એક વાત બહુ સ્પષ્ટ છે કે કેસીઆર ધારાસભ્યો વેચાણ માટે નથી. મુનુગોડે પેટાચૂંટણી પહેલા, ભાજપના નેતાઓ સ્વામીજી સહિત અનેક રાજકીય દલાલો દ્વારા ટીઆરએસના 4 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરતા રંગે હાથ ઝડપાયા છે.

જેમાં ભાજપે કરોડો રૂપિયા અને કોન્ટ્રાક્ટ ઓફર કર્યા હતા. ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેલંગણામાં TRS જે હવે BRS થઈ ગયું છે તેના પ્રવક્તાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને ધારાસભ્યોની ખરીદફરોત પાછળ ભાજપ નો હાથ છે તેમ જણાવ્યું છે. ભાજપ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 2019 થી, દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ તેલંગાણામાં ‘ઓપરેશન લોટસ’ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઓગસ્ટમાં, સમાચાર સામે આવ્યા હતા કે ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે લગભગ 18 TRS ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ પછી આવા દાવાઓને વધુ વેગ મળ્યો, જ્યારે એકનાથ શિંદેના ભાજપ સમર્થિત બળવાએ આ વર્ષની શરૂઆતમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવી દીધી. તાજેતરમાં, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હી અને પંજાબમાં ધારાસભ્યોને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!